વ્યથાનાં તેં આપ્યાં જો ચોધાર આંસુ,
ખુશીનાં ય આપી જો બે-ચાર આંસુ.
વિચાર્યું છે રડનાર !રડતાં પહેલાં
જશે ક્યાં બિચારાં નિરાધાર આંસુ?
જરા વાત માટે કાં હદપાર કીધાં ?
નથી એટલાં તો ગુનેગાર આંસુ!
સમય કેવો આવ્યો,બધાં છોડી ચાલ્યાં ?
બનીને રહ્યાં એક વફાદાર આંસુ.
ખુશી યા ગમી ઉદ્ભવે છે હૃદયમાં,
તો આપે છે પહેલા સમાચાર આંસુ.
નથી કાંઈ કહેવાની ‘નાઝિર!’જરૂરત,
બતાવે છે તારો જીવનસાર આંસુ.
(સૂનાં સદન )